એક ધોરણથી પાંચમા ધોરણના બાળકોને જ્યાં સુધી કોરોના રોગચાળો સામાન્ય ન થાય ત્યાં સુધી વર્ગો શરૂં કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. છઠ્ઠાથી બારમી સુધીના વર્ગો સપ્ટેમ્બરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઓનલાઇન પૂર્ણ કરાશે. દરેક વર્ગના 30 ટકા બાળકોને બે દિવસના અંતરે બોલાવવા. વધુ હોમવર્ક આપવું જોઈએ. માતાપિતાએ તેમના બાળકના સ્વાસ્થ્યની ઘોષણા કરવી પડશે.મધ્ય પ્રદેશ બાળ અધિકાર સુરક્ષા આયોગ દ્વારા કોરોના ચેપને રોકવા માટે આવા કેટલીક માર્ગદર્શિકા તૈયાર કરી ભલામણ કરવામાં આવી છે. શાળાઓમાં કોવિડ -19 ચેપ જાગૃતિ અને નિવારણ સમિતિ બનાવવી પડશે. જે કોરોના માટે કામ કરશે.
માતાપિતા માટે કડક નિયમો બનાવાયા છે
શાળા સ્વચ્છ કરવી પડશે, પીવાના પાણી અને હાથ ધોવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
બાળકો સ્વસ્થ હોય ત્યારે જ શાળાએ મોકલવાના રહેશે. બાળક સ્વસ્થ છે એવું જાહેર કરવું પડશે. શરદી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો સ્કૂલમાં મોકલવા નહીં. ગણવેશ, બેગ અને પગરખાં સ્વચ્છ રાખવા. ઘરે પહોંચતાં, કોપી-બુકને સ્પર્શ કર્યા પછી હાથને સાબુથી સાફ કરવા પડશે. માસ્ક પહેરાવીને જ બાળકોને મોકલવાના રહેશે. વાળ આંખો, મોં, નાક પર ન આવે તે રીતે બાંધવાના રહેશે. બાળકો સાથે સેનિટાઇઝર રાખવું પડશે. શાળાઓના કામગીરી માટેની માર્ગદર્શિકા તૈયાર કરી શાળા શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. બાળકોની સલામતીને ધ્યાનમાં લેતા, આ માર્ગદર્શિકાને અનુસરવાની ભલામણ કરવામાં આવે છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV