સંદેશ

1.5M Followers

કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારે કમિટીની રચના કરી

29 Aug 2022.11:29 AM

  • કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા સરકારે કમર કશી
  • આ કમિટી 50 દિવસોમાં એહવાલ રજુ કરશે
  • પડતર માંગણી નહીં ઉકેલાયતો હડતાલની ચિમકી આપી

ભૂતકાળની મોદી, પટેલ, રૂપાણી સરકારની જેમ નવી ભૂ.પ.પટેલ સરકારે પણ કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાના નામે પાંચ મંત્રીઓની કમિટી રચી છે.

આ કમિટીમા કનુ દેસાઇ જીતુ વાઘાણી, રૂષિકેશ પટેલ, બ્રિજેશ મેરજા અને હર્ષ સંઘવીનો સમાવેશ કર્યો છે. વિધાનસભા ચૂંટણી સરકારના માથે છે ત્યારે તમામ કર્મચારી સંગઠનો પડતર માંગણીઓ ઉકેલવાના નામે હડતાલની ચિમકી આપી રહ્યા છે. જૂની સરકારોની જેમ નવી સરકારની આ કમિટી આગામી 50 દિવસોમા શું ભલામણો કરે છે. તેના પર કર્મચારી સંગઠનોની નજર છે.

પડતર પ્રશ્નોના નિકાલ માટેની માંગણી કરશે

રાજ્યમાં કર્મચારીઓ ચાર દિવસ ટ્વિટર પર સરકારને જાગૃત કરી પડતર પ્રશ્નોના નિકાલ માટેની માંગણી કરશે. તો રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો આ અભિયાનમાં જોડાશે.રાજ્યના કર્મચારીઓના વિવિધ 12 જેટલી પડતર માંગણીઓ સાથે રાજ્યના સાડા ચાર લાખ કર્મચારીઓ જાડાશે. તો સાડા ચાર લાખથી વધુ પેન્શનરો છે. ત્યારે હવે કર્મચારીઓ પડતર માંગણીઓ માટે સરકારમાં અત્યાર સુધી આવેદનપત્ર આપતા હતા.હવે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો સોશ્યલ મીડિયા પર સરકારને જાગૃત કરશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags