ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે. જેમાં આજે ગુજરાત રાજ્યના 24 GAS અને IAS અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને સરકારે સત્તાવાર મહોર લગાવી છે. જેમાં 24 GAS અને IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
10 ઓગસ્ટે કરાઈ હતી 64 જીએએસ કેડરના અધિકારીઑની બદલી
નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને એક જ સ્થળે વધુ સમયથી ફરજ બજાવનાર અધિકારીઓને બદલી થકી નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ બદલાયા હતા.સરકારના આ બદલાવ આજે પણ જારી રહ્યા છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati