ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે.
ગ્રેડ-પે નહીં વધારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટાયઃ આરોગ્યકર્મી
ત્યારે આજે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓની હડતાળનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે કર્મચારી મંડળે બેઠક કરી છે. જેમાં સરકારે મુખ્ય 3 માંગ માંથી 2 માંગમાં હા ભરી છે જ્યારે ગ્રેડ પેની માંગ માટે સમિતિની રચના કરી છે. સાથે જ સરકારે 15 દિવસમાં 2 માંગણી માટે GR કરવાની ખાતરી આપી છે. પણ આરોગ્ય કર્મચારીઑ તેમજ કર્મચારી મંડળના આગેવાનો મુખ્ય માંગ ગ્રેડ પે વધારા પર અડગ છે. અને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સરકાર ગ્રેડ પે મામલે GR નહીં કરે ત્યાં સુધી 16 હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાની લડત ચાલી રાખશે.
એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહીની શક્યતા
તો બીજી તરફ આરોગ્યમંત્રીએ બેઠકમાં હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. પણ મળતી માહિતી મુજબ હડતાળ નહીં સમેટાય તો કર્મચારીઓ પર કાર્યવાહી થવાના શક્યતાઓ સેવાઇ રહી છે. એપેડેમિક એક્ટ મુજબ આંદોલનકારી કર્મચારીઑ પર પગલા લેવાઈ શકે છે જે અનુસંધાને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના રણજીતસિંહ મોરીએ કહ્યું કે જો કોઈ પણ કર્મચારી પર કાર્યવાહી થશે તો ગાંધીનગરમાં 16 હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ધામા નાખશે.
કર્મચારીઓની માગ શું?
કોણ કોણ હડતાળમાં જોડાયું છે?
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે જેઓ ખાસ કરીને ગ્રેડ પે વધારાની માંગ પર અડગ છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati