મોરબીમાં પૂલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં પૂલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. આ હોનારતમાં અત્યાર સુધી તંત્ર દ્વારા 47 લોકોના મોતની પૃષ્ટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જ્યારે મીડિયા અહેવાલો પ્રમાણે આ મોતનો આંકડો 90થી વધુ છે.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની પહેલી યાદી
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તત્કાલ મોરબી પહોંચ્યા હતા. મોરબી પહોંચીને સૌ પ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થા અંગે તબીબો સાથે વાતચિત કરીને સમીક્ષા પણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati