કરોડો લોકોની આસ્થાના અખુટ સાગર સમાન વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામના આંગણે આગામી તા.
મૂર્તિને હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી
નોંધનીય છે કે સાળંગપુર ખાતે બનાવવામાં આવેલું હાઈટેક ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે. તેમાં એક સાથે 4000 લોકો બેસીને ડાઇનિંગ ટેબલ પર આસાનીથી જમી શકે તેવી જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિને ખાસ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. હાલ આ મૂર્તિનું ફિનિશિંગ કામ પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ
આગામી તા. પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રીય હરી પ્રકાશદાસજી સ્વામીએ આ અંગે જણાવ્યું છે કે હનુમાન જયંતીના દિવસે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું અને 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે. જેના આયોજનને લઈ ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેઓના હસ્તે લોકાર્પણ કરાશે. આ અવસરે અનેક ભક્તો ઉપસ્થિત રહશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati