ગુજરાતમાં યુવાનોને રોજગારીને લઇને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા ફરી શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ અપાયો છે.
રાજ્યના યુવાનો માટે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રને પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કર્યો છે.
આમ રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા શરૂ થશે. પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કરાયો છે. જ્યારે બીજી તરફ 5 મહિનામાં 20 હજારથી વધુ યુવાઓને નોકરીની તક મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે.રાજ્યના વિવિધ વિભાગમાં છેલ્લા ચાર વર્ષોમાં સવા લાખ ભરતી કરાઈ છે. ત્યારે હવે અટકેલી સરકારી નોકરીની ભરતી હવે તાત્કાલિક કરાશે.
ઉલ્લેખનીય છે કે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે કવાયત હાથ ધરી હતી. ભરતી પ્રક્રિયા મુદ્દે CM વિજય રૂપાણીએ પરીક્ષા પરિણામોની યાદી મંગાવી હતી. GPSCની 103 પેન્ડિંગ ભરતીના પરિણામોની યાદી મેળવવામાં આવી હતી. આ મુ્દ્દે ગઇકાલે GSSSBના અધ્યક્ષ અસિત વોરા સાથે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati