મોદી સરકારે આજે એક નવો કાયદો લાગુ કર્યો છે. આ ખાસ કાયદો દેશની જનતાને વધુ શક્તિશાળી બનાવશે. જનતા સાથે થતી રોજની છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે ઉપભોક્તા સંરક્ષણના નવા કાયદાને આજથી અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019ને 20 જુલાઈથી લાગુ કરવા માટે સૂચના જાહેર કરી દેવામાં આવી છે. નવા કાયદા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 1986ની જગ્યા લીધી છે.
કેન્દ્રીય ઉપભોક્ત મામલામાં ખાધ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે નવો કાયદો 20 જુલાઈ એટલે કે આજથી લાગુ માનવામાં આવશે.
નવા કાયદાની આ છે વિશેષતા
ઉલ્લેખનીય છે કે સંરક્ષણ અધિનિયમ 2019 ઘણા સમય પહેલા તૈયાર કરી દેવાયો હતો. જો કે આ કાયદો થોડાક મહિના પહેલા લાગુ થવાનો હતો. જોકે કોરોનાને કારણે અને લોકડાઉનના કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો. આવનારા વિકથી તેનો અમલ શરુ કરી દેવાશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati