ખેડુતોને ખેતી માટે ઘણા કૃષિ સાધનોની જરૂર પડે છે. આ કૃષિ સાધનોની મદદથી ખેડૂત સરળતાથી ખેતી કરી શકે છે. આની સાથે, તેમનું કાર્ય ઝડપથી કરવામાં આવે છે અને તેમના સમયનો બચાવ થાય છે. બજારમાં આજે વેચવા માટે વિવિધ પ્રકારના કૃષિ ઉપકરણો અસ્તિત્વમાં છે. પરંતુ તે એટલા મોંઘા હોય છે કે ગરીબ ખેડૂત તેને ખરીદવા સક્ષમ નથી. આર્થિક રીતે નબળા અને કૃષિ ઉપકરણો ખરીદવામાં અસમર્થ એવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના શરૂ કરી છે.
આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે 20 થી 50 ટકા સબસિડી (ગ્રાન્ટ) આપવામાં આવે છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડુતોના હિત માટે યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેશના ખેડુતોને તેમની કેટેગરી પ્રમાણે નવા ટ્રેક્ટર ખરીદવા પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવશે. જે ખેડુતો ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા માંગે છે તેઓ આ યોજના અંતર્ગત 20 થી 50 ટકા સબસિડી પર નવું ટ્રેક્ટર મેળવી શકશે. આ યોજના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ સબસિડી મેળવવા ખેડૂતે તેની અરજી કરવી પડશે.
જો તમારે આ યોજના હેઠળ ટ્રેક્ટર માટે અરજી કરવી હોય તો ખાતરી કરો કે તમે બધી યોગ્યતા પૂર્ણ કરી છે. આ પછી, તમે ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાથે કોમન સર્વિસ સેન્ટર ((CSC)ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. આ સિવાય, કોઈ પણ તહસીલ કચેરી અને કૃષિ વિભાગ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી દસ્તાવેજની ચકાસણી થશે. જો તમે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના માટે પાત્ર છો, તો તમને ટ્રેક્ટર આપવામાં આવશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV