વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસંગઠિત ક્ષેત્ર માટે ત્રણ પેન્શન યોજનાઓ શરૂ કરી છે. આ પેન્શન યોજનાઓનો લાભ ખેડૂતો, વેપારીઓ અને કામદારોને મળશે. જેમાં પીએમ-શ્રમયોગી મહાધન યોજના (પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન) માં નોંધણી સૌથી વધુ છે. 3 ઓગસ્ટ સુધીમાં, 44,27,264 લોકો જોડાયા છે. જ્યારે ખેડૂતોની યોજના તેના અડધા લોકો જોડાયા છે. 60 વર્ષની ઉંમરે પહોંચતા જ દર મહિને ખેડૂતોને 3000 રૂપિયા પેન્શન મળશે. જો લાભ લેનાર પેન્શન મેળવતા હોય અને મૃત્યુ પામે તો 50% રકમ તેના જીવનસાથીને પેન્શન તરીકે આપવામાં આવશે.
વડા પ્રધાન મોદીએ આ યોજનાની શરૂઆત 5 માર્ચ 2019 ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં કરી હતી. જ્યારે આ માટેની નોંધણી 15 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ હતી.
સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ અથવા કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફઓ), રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) અથવા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ઇએસઆઈસી) અથવા આવકવેરો ભરનારા સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ યોજના મહિનામાં રૂ .15,000 થી ઓછી આવક કરનારાઓ માટે છે. આ યોજના દેશના 42 કરોડ કામદારો માટે છે.
કૃષિ તેમજ ઉદ્યોગોમાં અગ્રેસર રહેતા હરિયાણાના કામદારોએ આ યોજના હેઠળ મહત્તમ નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં 8,01,580 લોકો તેમાં જોડાયા છે. બીજો નંબર ઉત્તર પ્રદેશ છે, જ્યાં 6,02,533 લોકો નોંધાયા છે. ત્રીજું મહારાષ્ટ્ર છે જ્યાં 5,84,556 લોકો જોડાયા છે. 2,07,063 નામાંકનો સાથે ગુજરાત ચોથા અને 3,67,848 કામદારો સાથે છત્તીસગઢ પાંચમાં સ્થાને છે.
ઘર કામ કરતા નોકરો, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેતમજૂરો આનો લાભ લઈ શકશે. વય પ્રમાણે પ્રીમિયમ 55 થી 200 રૂપિયા હશે. સરકાર આટલા પૈસા ઉમેરશે.
આધાર કાર્ડ, બચત અથવા જન ધન એકાઉન્ટ અને આઈએફએસસી નંબર સાથેનો મોબાઇલ નંબર. આ હેઠળ નોંધણી માટેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. તમે નજીકના સામાન્ય સેવા કેન્દ્ર (સીએસસી) પર નોંધણી કરાવી શકો છો.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV