ભારતમાં કોરોના વાયરસના કેસ 57 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 91 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો બાદ બીજા 4 જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1442 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહાનગરો બાદ આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા
આજે મહાનગર રાજકોટમાં 182, સુરતમાં 285, અમદાવાદમાં 125, જામનગરમાં 101 અને વડોદરામાં 109 દર્દીઓ સાજા થયા છે.
આજે 12 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 12 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, રાજકોટમાં 2, વડોદરામાં 2 અને બનાસકાંઠામાં 1, ગાંધીનગર 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું
સુરત બાદ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદમાં આજે 182 કોરોનાના નવા કેસ સાથે કુલ આંકડો 35,854 પર પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદમાં સૌથી 1798 દર્દીઓના મોત થયા છે.
આજે કોરોનાના 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 61,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41,10,186 ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
25/09/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 182 |
સુરત | 300 |
વડોદરા | 134 |
ગાંધીનગર | 48 |
ભાવનગર | 45 |
બનાસકાંઠા | 41 |
આણંદ | 13 |
રાજકોટ | 148 |
અરવલ્લી | 10 |
મહેસાણા | 48 |
પંચમહાલ | 27 |
બોટાદ | 10 |
મહીસાગર | 12 |
ખેડા | 10 |
પાટણ | 34 |
જામનગર | 114 |
ભરૂચ | 26 |
સાબરકાંઠા | 14 |
ગીર સોમનાથ | 11 |
દાહોદ | 12 |
છોટા ઉદેપુર | 7 |
કચ્છ | 30 |
નર્મદા | 10 |
દેવભૂમિ દ્વારકા | 9 |
વલસાડ | 7 |
નવસારી | 9 |
જૂનાગઢ | 33 |
પોરબંદર | 4 |
સુરેન્દ્રનગર | 28 |
મોરબી | 25 |
તાપી | 7 |
ડાંગ | 0 |
અમરેલી | 34 |
અન્ય રાજ્ય | 0 |
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati