ગુજરાતમાં કોરોનાની મહામારીને પગલે શાળાઓ બંધ કરવામાં આવી છે જેને પગલે આજે ગુજરાત કેબિનેટમાં શાળાઓ ખોલવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દીવાળી બાદ સ્કૂલ ખુલવા મામલે આજે શિક્ષમમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આજે મળેલી ગુજરાત કેબિનેટમાં 9 થી 12 અને કોલેજ શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. SOP તૈયાર કરવા સૂચના આપી છે. 2 દિવસમાં ચર્ચા કરીને ધોરણ 9-12 મુદ્દે ચર્ચા કરાશે. SOP તૈયાર થયા બાદ CM અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીશું. યુનિવર્સિટીઓને પણ SOP તૈયાર કરવા સૂચના આપી છે. વિચારણા બાદ સ્કૂલ શરૂ કરવા મુદ્દે નિર્ણય કરીશું. મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે . ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 8 શરૂ કરવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati