કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂંછાશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી અપાશે. આ સાથે જ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.
રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, ધો.10 અને 12ની પરીક્ષા 21 મે 2021એ લેવાશે.
ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં જે 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તે એક વર્ષ માટે લાગુ રહેશે. શાળાઓને આ વિશે ટુંક જ સમયમાં વધુ જાણકારી આપી દેવામાં આવશે કે કેવી રીતે માધ્યમિક બોર્ડે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. અહિં મહત્વની વાત એ છે કે, જે અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવ્યો છે તેની અંદર આવતા સવાલો પરીક્ષામાં પૂંછવામાં આવશે નહી.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh