ગુજરાત રાજ્યના શિક્ષકોઓ ગ્રેડ પે મામલે સરકાર સમક્ષ આંદોલન કર્યું હતું, જેમાં શિક્ષકો અને સંગઠનની મુખ્ય માંગ હતી કે સરકાર 4500નો ગ્રેડ પે આપે અને આ મામલે રાજ્યભરમાં આંદોલન થયું હતું. નોંધપાત્ર છે કે શિક્ષણ વિભાગ શિક્ષકોને પ્રે ગ્રેડ આપવાની હતી. ત્યારે હવે આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
શિક્ષણ વિભાગે ગ્રેડ પે આપવાની શિક્ષક સંગઠનને બાંહેધરી આપી
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પે ગ્રેડ મામલે સરકાર મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ મામલે શિક્ષણ વિભાગ પે ગ્રેડ આપવાની મંજૂરી આપવાના હતી. આ મામલે સરકારે શિક્ષણ સંગઠનને બાંહેધરી પણ આપી હતી.
શિક્ષણ પ્રધાનની રાજ્યના નાણાં મત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઈ
જો કે નાણાં વિભાગ દ્વારા પે ગ્રેડ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા રાજ્યભરના શિક્ષકો ભારે રોષે ભરાયા હતા. આ મામલે શિક્ષણ સંગઠનને વાંરવાર રજુઆત કરી હતી. સાથે સાથે સંગઠને શિક્ષણમંત્રી વચ્ચે રજુઆત પણ કરવામાં આવી હતી. પરતું કોઈપણ પ્રકારની કાર્યવાહી ના થતા આખરે આંદોલનનો માર્ગ આપનાવ્યો હતો અને ટ્વિટર પર પણ આમામલે એક આંદોલન છેડાયું હતું, હવે 4500 પે ગ્રેડ અંગે સરકાર મહત્વનો નિર્ણય જાહેર કરે તેવી અટકળો વહેતી થઈ છે, સંગઠનની રજુઆતને પગલે શિક્ષણ પ્રધાનની રાજ્યના નાણાં મત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી.
રાજ્યના શિક્ષકોને ગ્રેડ પે મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે બેઠક યોજાઇ… શિક્ષણ વિભાગે ગ્રેડ પે આપવાની શિક્ષક સંગઠનને બાંહેધરી આપી હતી. પરંતુ નાણાં વિભાગ દ્વારા હજુ સુધી કોઇ કામગીરી ન થતાં શિક્ષકોમાં રોષ વધ્યો છે શિક્ષક સંગઠનની માંગ છે કે સરકાર 4 હજાર 200નો ગ્રેડ પે આપે. આ મુદ્દે શિક્ષક સંગઠન દ્વારા વારંવાર શિક્ષણપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે…
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV