ગાંધીનગરમાં આજે બપોરે 2 વાગ્યે પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે શિક્ષણમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બેઠક કરશે. બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવાય એવી શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી 4200 ગ્રેડ પે બાબતે શિક્ષકો ઉગ્ર માગ કરી રહ્યા છે અને ઘરે ઘરે ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ તેમનું આંદોલન ચાલી રહ્યું છે.
જો કે આજની બેઠક મહત્વની હશે અને મહત્વનો નિર્ણય લેવાશે એવું લાગે છે.
સ્વર્ણિમ સંકુલમાં આજે શિક્ષક સંઘોના પ્રમુખ અને હોદેદારો આ બેઠકમાં હાજર રહેશે.
4 હજાર 200ના ગ્રેડ પેના મામલે HTAT મુખ્ય શિક્ષકના કેટલાક પ્રશ્નોનો ઉકેલ નહી આવતા તેઓએ ફરી આંદોલનની શરૂઆત કરી છે. ત્યારે આ મામતે ગત રોજ એટલે કે મંગળવારે ગાંધીન ગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી રહેલા શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી આ ધરણા કાર્યક્રમ 25 જાન્યુઆરી સુધી ચાલવાનો હતો.જોકે ગત રોજ આંદોલનના પ્રથમ દિવસે જ પોલીસે સત્યાગ્રહ છાવણી પહોંચતા શિક્ષકોની અટકાયત થઈ.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV