જો તમે પણ સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો તો, તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. સેન્ટ્રલ રેલ્વે ભરતી બોર્ડે અપરેંટિસના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે હેઠળે મુંબઇ, ભુસાવલ, પુના, નાગપુર અને સોલપુર સહિત અન્ય પ્રદેશ માટે વેકેન્સી નીકળી છે. જે હેઠળ કુલ 2500 પદ પર નિમણૂક કરવામાં આવશે. આ સંજોગોમાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 5 માર્ચ સુધી અરજી કરી શકે છે. આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર પોર્ટલ https://www.rrccr.com/Home પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે, ફોર્મને પહેલા સારી રીતે વાંચો. કારણ કે, જો ફોર્મમાં કોઈ ગરબડી મળી આવે છે તો એપ્લીકેશન ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે.
સેન્ટ્રલ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફથી જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અપરેન્ટિસની પોસ્ટ પર આવેદન કરનાર ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી 10 પાસ સુધીની કે તેને સમકક્ષ ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 18થી 24ની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ આપવામાં આવશે. આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે.
આ રીતે કરવામાં આવશે પસંદગી
આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારોની પસંદગી દસમા ધોરણની મેરિટ- ગુણવત્તાના આધારે કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારોએ ધ્યાન આપે કે, તેઓએ હાયર એજ્યુકેશન -ઉચ્ચ શિક્ષણની ડિગ્રી પણ લીધી હોય તો પણ ફક્ત 10મા ધોરણના માર્ક્સને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ સિવાય, શૈક્ષણિક લાયકાત સાથે જોડાયેલી વધુ વિગતોને તપાસવા માટે ઉમેદવારે અધિકારીક નોટિફિકેશન વાંચી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો
ભુસાવાલ
પુણે
નાગપુર
સોલાપુર
શૈક્ષણિક લાયકાત:
વય મર્યાદા: 18થી 24 વર્ષ
મધ્ય રેલ્વે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટેની પસંદગી પ્રક્રિયા
મેટ્રિકમાં માર્કસ ટકાવારીના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે (ઓછામાં ઓછા 50 % ગુણ સાથે) + જે આઈટીઆઈના માર્કસ પણ અતિ જરૂરી ગણાશે
સેન્ટ્રલ રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે કેવી રીતે અરજી કરવી?
અરજી ફી: રૂ. 100 /
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV