VTV News

1.2M Followers

વેક્સિનેશન / કોરોના રસી લેવા માટે આ ડૉક્યુમેન્ટ્સ હોવા જરૂરી, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

14 Dec 2020.8:37 PM

કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાન માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કા હેઠળ સરકાર અંદાજિત 30 કરોડ લોકોને રસીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં હેલ્થ વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે.

  • કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં રસીકરણ અભિયાન માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી
  • પહેલા તબક્કામાં સરકાર અંદાજિત 30 કરોડ લોકોના રસીકરણની યોજના બનાવી રહી છે
  • દરરોજ દરેક સત્ર દરમિયાન અંદાજિત 100થી 200 લોકોને રસી આપવામાં આવશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, 50 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની વસ્તીને નક્કી કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવી મતદાન યાદીનો ઉપયોગ કરવામાં આવશે.

કો-વિન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવા માટે મતદાન ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 ફોટો ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ થઇ શકશે.

વૅક્સિન માટેની ગાઈડલાઈન

  • દિવસ દરમિયાન દરેક સત્ર દરમિયાન આશરે 100 થી 200 લોકોને રસી આપવામાં આવશે.
  • રસી લાગુ કર્યા પછી, સંબંધિત વ્યક્તિની દેખરેખ 30 મિનિટ સુધી કરવામાં આવશે.
  • રસીકરણ ટીમમાં કુલ પાંચ સભ્યો હશે
  • જો રસીકરણવાળી જગ્યાએ પર્યાપ્ત વ્યવસ્થા હોય અને વેઈટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે તો બીજું સત્ર ગોઠવી શકાશે.
  • કોવિડ વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (કો-વિન) સિસ્ટમ એ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રસીકરણ માટે સૂચિબદ્ધ લાભાર્થીઓને શોધવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • મતદાર ઓળખકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિતના 12 ફોટો ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કો-વિન વેબસાઇટ પર સ્વ-નોંધણી માટે થઈ શકે છે.
  • પહેલાથી નોંધાયેલા લોકોને જ સ્થળ પર રસી આપવામાં આવશે, ત્યાં સ્થળ પર નોંધણી થઈ નહીં શકે.
  • જ્યારે કોઈ વ્યક્તિ રસીકરણ માટે આવે છે ત્યારે રસીની શીશીઓને સૂર્યપ્રકાશથી દૂર રખાશે.
  • રસીકરણ માટે વ્યક્તિ પહોંચશે ત્યારે જ શીશી ખોલાશે.
  • આઈસ પેક સાથેની બધી ન વપરાયેલી રસીઓને સત્ર પછી વિતરણ કોલ્ડ ચેઇન સ્થળોએ પરત કરવી જરુરી હશે.
  • પ્રથમ આરોગ્ય કર્મચારીઓ, અગ્રીમ મોરચાના કર્મચારીઓ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ કરવામાં આવશે.
  • ગંભીર રોગ સાથે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું રસીકરણ અને મહામારીની સ્થિતિ અને રસીની ઉપલબ્ધતાના આધારે બાકીના લોકોનું રસીકરણ થઈ શકશે.
  • રસીકરણના પ્રથમ તબક્કા હેઠળ લગભગ 30 કરોડની વસ્તી રસી આપવામાં આવશે
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags