PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. જેમાં એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ છે. આ યોજના અંતર્ગત મોદી સરકાર દેશભરના ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડે છે. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને સીધા જ તેના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ખેડૂતોને 7 હપ્તામાં 14000 કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) નો હેતુ દેશના અન્નદાતાઓની આવક વધારવાનો છે.
આ ખેડૂતોને નહીં મળે યોજનાનો લાભ
આનો અર્થ એ છે કે જો ખેતર તમારા પિતા અથવા દાદાના નામે છે, તો તમારા નામે ખેતર ટ્રાન્સફર થાય ત્યાં સુધી તમને આ યોજનાનો લાભ મળશે નહીં.આ સિવાય ઘણા લોકો એવા છે કે જેઓ ખેતી કરવા છતાં આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
1. સંસ્થાકીય ખેડૂતો
2. ખેડૂત પરિવારો જેમાં એક અથવા વધુ લોકો આ કેટેગરી હેઠળ આવે છે:
સરકારે યોજનામાં કર્યો આ બદલાવ
સરકારે કિસાન સમ્માન નિધિ યોજનામાં જે બદલાવ કર્યો છે તે અનુસાર હવે ફક્ત એવા ખેડૂતોને જ તેનો લાભ મળશે, જેની પાસે પોતાની જમીન છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવતી વખતે જ લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ આપવુ પડશે.
ઘરે બેઠા આ રીતે કરો રજીસ્ટ્રેશન
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ તમે જાતે જ ઘરેબેઠા તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના માટે તમારી પાસે તમારા ખેતરનું લેન્ડ મ્યુટેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. પીએમ કિસાન યોજનાની ઑફિશિયલ વેબસાઇટ pmkisan.nic.in પર જઇને તમારુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
જણાવી દઇએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં કુલ છ હજાર રૂપિયાની રકમ મોકલે છે.
1. સંસ્થાકીય ખેડૂતો
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV