GSTV

1.3M Followers

BIG NEWS : GUJCET, JEE અને NEETની પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, બોર્ડના રીપિટરોને આપી ધમકી કે વહેમમાં ના રહેતા કે પરીક્ષા નહીં યોજાય

03 Jul 2021.6:30 PM

Last Updated on July 3, 2021 by Karan

કોરોના વચ્ચે પરીક્ષાઓ કેન્સલ થયા બાદ હવે ગુજરાત સરકાર પરીક્ષાઓ લેવાના મૂડમાં છે. ડિગ્રી એન્જીયરીંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી GUJCET-2021ની પરીક્ષાને લઈને જૂનના આખરમાં સમાચાર આવ્યા હતા કે ગુજકેટના ફોર્મ ભરવાની આખર તારીખ 4 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજકેટની પરીક્ષાને લઈને મોટું નિવેદન કર્યું છે.ધોરણ 10 અને 12ની રીપીટરની પરીક્ષા રદ કરવા મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પત્ર સામે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતુ કે રીપીટરની પરીક્ષા તો યોજાશે જ.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

પરીક્ષા રદ થાય તેવા વહેમમાં કોઇના રહે.15 જુલાઈથી પરીક્ષા યોજાશે તે માટે તૈયારી પણ થઈ ચૂકી છે..

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે JEE અને NEETની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરીશું. પરીક્ષાની તારીખો ક્લેશ ના થાય તે માટે 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

તો આ પહેલા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે GUJCETની પરીક્ષાને લઈને મોટા સમાચાર આવ્યા હતા. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જીયરીંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટ-2021ની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવીને 4 જુલાઈ 2021 કરવામાં આવી છે. એટલે કે ગુજકેટનું ફોર્મ ભરવા માટેની આવતીકાલે અંતિમ તારીખ છે.

મહત્વપૂર્ણ છે કે ગુજેકેટ-2021 માટે ફોર્મ ભરવાની ગત 23 જુનના રોજ કરવામાં આવી હતી. જેની અંતિમ તારીખ 30 જૂન હતી, જે હવે વધારીને 4 જુલાઈ કરવામાં આવી છે. ગુજકેટના ઉમેદવારો હવે 4 જુલાઈ સુધી ગુજકેટના ફોર્મ ભરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરતા માહિતી આપવામાં આવી છે.

ગુજકેટના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પરથી ભરી શકાશે. સાથે જ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સૂચનાઓ અને માહિતી પુસ્તિકા પણ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરીવાર શાળા-કોલેજ ચાલુ કરવા અંગે સરકાર નિર્ણય લઈ શકે છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લઈ શાળા-કોલેજ ચાલુ કરવામાં આવશે. જે રીતે પહેલા એક પછી એક વર્ગ ચાલુ કરવામાં આવ્યા હતાં તે પ્રમાણે સરકાર નિર્ણય લેશે. આ પહેલા સરકારે શાળા કોલેજને કોવિડના નિયમો સાથે ચાલુ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જેથી સરકાર શાળા અને કોલેજ ચાલુ કરવાની મંજૂરી આપી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Last Updated on July 3, 2021 by Karan

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags