Last Updated on July 5, 2021 by pratik shah
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સોમવારે 2021-22 સત્ર માટે 10 મા અને 12 મા બોર્ડની પરીક્ષા માટે વિશેષ મૂલ્યાંકન યોજનાની જાહેરાત કરી છે. CBSEના નવા ધોરણો મુજબ શૈક્ષણિક સત્ર 2021-22 માટેના અભ્યાસક્રમને બે ભાગમાં વહેંચવામાં આવશે. આ યોજના સાથે, દરેક ટર્મમાં 50 ટકા અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.CBSEએ જણાવ્યું હતું કે તેના નવા શૈક્ષણિક સત્રને દરેક સત્રમાં 50 ટકા અભ્યાસક્રમ સાથે બે ટુકડાઓ વહેંચવામાં આવશે.
પ્રથમ ટર્મ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં અને બીજી ટર્મ પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવામાં આવશે.
બીજી તરફ આ મામલે બોર્ડે કહ્યું કે નવા અભ્યાસક્રમને જુલાઈના અંત સુધીમાં અધિસૂચિત કરવામાં આવશે. CBSEએ 2022માં બોર્ડ પરીક્ષાઓ માટેની તેની યોજનાઓ વિશે જણાવ્યું હતું કે આંતરિક આકારણી અને પ્રોજેક્ટ કાર્યને વધુ વિશ્વસનીય અને માન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
Last Updated on July 5, 2021 by pratik shah
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV