કોરોના સમયગાળા દરમિયાન માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને જુલાઈથી સહાય પ્રાપ્ત થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બાળકોને સહાયનું વિતરણ કરશે. 776 થી વધુ બાળકોની નોંધણી થઈ છે. તે પછી આ સહાય બાળકોના ખાતામાં અથવા ગાર્ડિયનના એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે.
રાજ્ય સરકાર પ્રતિ બાળક દીઠ 4 હજારની માસિક સહાય આપશે. સહાયનો લાભ બાળકના અનાથ થયાના સમયથી લાગુ થશે. બાળકોને સહાયનું બાકી એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના કોરોનામાં 175 બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા
ગાંધીનગર જિલ્લાના કોરોનામાં 175 બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે. આમાંના કેટલાક બાળકોએ તેમની માતાને ગુમાવી દીધી છે અને કેટલાકએ તેમના પિતા ગુમાવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન થયું છે. જેમાં વરસાદ ખેંચાયો તેમજ સિંચાઇના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ જિલ્લા પ્રવાસનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે. મનપા અને જિલ્લા વિસ્તારમાં વિકાસ કામોના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ગ્રામીણ રોજગારના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: JANTA NEWS360