કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જાહેરાત કરી કે આઇઆઇટીમાં પ્રવેશ માટે JEE (Advanced) 2021 ની પરીક્ષા 3 ઓક્ટોબર 2021 ના રોજ લેવામાં આવશે.
ધર્મેંદ્ર પ્રધાને કર્યું ટ્વિટ
શિક્ષણ મંત્રી ધર્મેંદ્ર પ્રધાને સોમવારે રાત્રે ટ્વિટ કરી જેઈઈ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખની જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું, "IIT માં પ્રવેશ માટે JEE (Advanced) 2021 પરીક્ષા 3 ઓક્ટોબર 2021ના યોજાશે. આ પરીક્ષા તમામ પ્રકારના કોરોના પ્રોટોકોલનું પાલન કરતા આયોજીત કરવામાં આવશે.
હાલમાં જેઈઈ મેઈન્સ પરીક્ષાઓનું થઈ રહ્યું છે આયોજન
હાલના સમયમાં જેઈઈ મેઈન્સની ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાઓનું દેશના અલગ-અલગ કેંદ્રો પર આયોજન કરવામાં આવી રહ્યું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita