હમણાં થોડા સમય પહેલા માસ પ્રમોસન આપવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ આ પરિણામથી અસંતુષ્ટ છે. આ અસંતુષ્ટ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. આથી ગુજરાત બોર્ડે ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યુ છે. આથી માસ પ્રમોશનમાં મળેલા માર્કસથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની 12 ઓગસ્ટે પરીક્ષા આપશે. આ પરીક્ષાનું આયોજન 12થી 14 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 17 જુલાઈએ પરિણામ જાહેર કરાયું હતું.
ગુજરાતમાં ગુજકેટ
ધોરણ-12ની પરીક્ષાઓના પરીણામ જાહેર થઈ ગયા છે. ત્યારે અલગ-અલગ ડિગ્રીમાં એડમિશન માટે લેવાતી ગુજકેટ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બેસવાના છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે, આવતીકાલે એટલે કે 6 ઓગષ્ટના રોજ GUJCETની પરીક્ષા યોજાશે.રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી બોર્ડ (GSHSEB) તરફથી આ પરીક્ષા આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ લેવામા આવશે ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરાયો છે. 5932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખી વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દી માટે પરીક્ષાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે સાંજે 4 કલાકે પૂર્ણ થશે જેમાં કુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati