ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવાયું છે. પરંતુ ધોરણ-12 અને 10ના રિપીટર્સ વિદ્યાર્થીને માસ પ્રમોશનનો લાભ મળ્યો નથી.
તો વિદ્યાર્થીઓની માર્કશીટ જે તે શાળામાંથી મેળવવાની રહેશે. જો કે, તેની જાણ શાળા દ્વારા વિદ્યાર્થીઓને કરાશે. મહત્વનું છે કે, માસ પ્રમોશન પછી જે રિપીટર્સ વિદ્યાર્થીઓ હતા તેમાંથી કુલ 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ અગાઉ થોડા દિવસ પહેલા 12 સાયન્સના પણ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 12 સાયન્સના આશરે 30343 વિદ્યાર્થીઓ પૈકી 15 ટકા જ પરિણામ આવ્યું હતું. એટલે 30 હજારની સામે 4600 જેટલા જ વિદ્યાર્થી પાસ થયા હતા. ત્યારે સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા પછી નવી માહિતી સામે આવશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati