VTV News

1.2M Followers

મહેનતનું મૂલ્યાંકન / ગુજરાતમાં ધોરણ-12 સામન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે થશે જાહેર, પરંતુ...

22 Aug 2021.8:36 PM

  • ધો-12 સામાન્ય પ્રવાહ રિપીટરનું પરિણામ કાલે
  • આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે
  • આવતીકાલે માત્ર ઓનલાઇન પરિણામ જોઇ શકાશે

ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવાયું છે. પરંતુ ધોરણ-12 અને 10ના રિપીટર્સ વિદ્યાર્થીને માસ પ્રમોશનનો લાભ મળ્યો નથી.

જેથી શિક્ષણ બોર્ડ દ્વારા તેની ફિઝીકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા બાદ 23 ઓગસ્ટે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. રક્ષાબંધનના બીજા દિવસે એટલે 23 ઓગસ્ટના દિવસે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર 8 વાગ્યે પરિણામ જાહેર કરાશે. રિપીટર્સ વિદ્યાર્થી પોતાના બેઠક નંબર સહિતની માહિતી આપીને પરિણામ જોઈ શકશે.

તો વિદ્યાર્થીઓની માર્કશીટ જે તે શાળામાંથી મેળવવાની રહેશે. જો કે, તેની જાણ શાળા દ્વારા વિદ્યાર્થીઓને કરાશે. મહત્વનું છે કે, માસ પ્રમોશન પછી જે રિપીટર્સ વિદ્યાર્થીઓ હતા તેમાંથી કુલ 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ અગાઉ થોડા દિવસ પહેલા 12 સાયન્સના પણ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 12 સાયન્સના આશરે 30343 વિદ્યાર્થીઓ પૈકી 15 ટકા જ પરિણામ આવ્યું હતું. એટલે 30 હજારની સામે 4600 જેટલા જ વિદ્યાર્થી પાસ થયા હતા. ત્યારે સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા પછી નવી માહિતી સામે આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags