પૂજારી મંદિરનો માલિક નથી
સુપ્રિમ કોર્ટે સોમવારે આપેલા એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ મંદિરની જમીન પર પૂજારી કે કોઈ સરકારી અધિકારીનો હક હોતો નથી. પૂજારી મંદિરનો માલિક નથી. મંદિરની જમીન પર ભગવાનનો હક હોય છે.
રામ મંદિરનું ઉદાહરણ આપ્યુ
આ માટે સુપ્રીમે અયોધ્યા રામ મંદિરનું ઉદાહરણ આપ્યુ હતું.
મધ્યપ્રદેશ સરકારે સૂચના જાહેર કરી હતી
ખરેખર તો આ ઘણીવાર જોવા મળતી ઘટના છે કે જેમાં મંદિરો પર પૂજારીઓ પોતાનો અધિકાર જમાવતા હોય છે. સરકારી કાગળો પર પણ પૂજારીઓ પોતાના નામ લખાવી દેતાં હોય છે. અમુક કિસ્સાઓમાં તો ત્યાર બાદ પૂજારી પોતાની મરજીથી મંદિરની જમીન પણ વેચી દે છે. આ માટે મધ્યપ્રદેશ સરકારે સૂચના જાહેર કરી હતી કે મંદિરની જમીન પર પૂજારીની માલિકી નથી હોતી. પૂજારીનું કામ મંદિર અને તેની જમીનની સંભાળ લેવા માત્રનું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati