Last Updated on October 16, 2021 by Bansari
LPG સિલિન્ડરની સબસિડી અંગે મોટી માહિતી સામે આવી રહી છે. સરકાર દ્વારા આંતરિક મૂલ્યાંકનમાં સંકેત મળી રહ્યાં છે કે ગ્રાહકોને LPG સિલિન્ડર માટે 1000 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચૂકવવા પડી શકે છે. જો કે, આ બાબતે સરકારનો વિચાર શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ડટસ અનુસાર, સરકારે સબસિડીના મુદ્દે ઘણી વખત ચર્ચા કરી છે પરંતુ હજુ સુધી કોઈ યોજના બનાવી નથી.
જાણો શું છે સરકારનો પ્લાન
સબસિડી આપવા અંગે સરકાર તરફથી સ્પષ્ટ રીતે કશું કહેવામાં આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી 10 લાખ રૂપિયાની આવકનો નિયમ અમલમાં રહેશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. બાકીના માટે, સબસિડી સમાપ્ત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2016 માં ગરીબી રેખા નીચેનાં પરિવારોને LPG કનેક્શન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. ભારતમાં 29 કરોડથી વધુ LPG કનેક્શન છે, જેમાંથી ઉજ્જવલા યોજના હેઠળ આશરે 8.8 LPG કનેક્શન છે. નાણાકીય વર્ષ 22 માં સરકાર યોજના હેઠળ અન્ય એક કરોડ કનેક્શન જોડવાની યોજના બનાવી રહી છે.
સબસિડીની સ્થિતિ શું છે?
વર્ષ 2020 માં, જ્યારે કોરોનાવાયરસ મહામારીને કારણે વિશ્વવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. તેનાથી LPG સબસિડીના મોરચે ભારત સરકારને મદદ મળી કારણ કે કિંમતો ઓછી હતી અને સબસિડીમાં બદલાવની જરૂર નહોતી. મે 2020 થી, LPG સબસિડી ઘણા વિસ્તારોમાં બંધ થઈ ગઈ છે.
સરકાર સબસિડી પાછળ કેટલો ખર્ચ કરે છે?
નાણાકીય વર્ષ 2021 દરમિયાન સબસિડી પર સરકારનો ખર્ચ 3,559 રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2020 માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. વાસ્તવમાં આ DBT સ્કીમ હેઠળ છે, જે જાન્યુઆરી 2015 માં શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રાહકોને સબસિડી વિનાના LPG સિલિન્ડર માટે પૂરી રકમ ચૂકવવી પડશે. તે જ સમયે, સરકાર વતી ગ્રાહકના બેંક ખાતામાં સબસિડીના પૈસા રિફંડ કરવામાં આવે છે. આ રિફંડ સીધું હોવાથી, આ યોજનાને DBTL નામ આપવામાં આવ્યું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV