કોરોનાના કારણે બંધ રહેલી રો-પેક્સ સેવા ફરી શરૂ થતા હવે સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારોની મુસાફરી સહેલી બનશે, કોરોના કાળમાં કોરોના સંકટ વચ્ચે રોપેક્સ સેવા બંધ કરી દેવામાં આવી હતી જો કે આજથી ફરી ઘોઘા રોપેક્શ ફેરી સર્વિસનો પુન :પ્રારંભ થયો છે.
મહત્વનું છે કે અંદાજિત અઢી મહિના જેટલા સમય સુધી બંધ રહેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ફરી શરૂ થતા દરિયાઈ મુસાફરી કરનાર લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. હવે ભાવનગર અને સુરત આવતા પરિવારને રોપેક્સ સેવાનો લાભ મળી રહેશે, ભાવનગર-સુરત વચ્ચે જળમાર્ગે કનેક્ટીવીટી વધારી અંતર ઘટાડવાના હેતુથી નવેમ્બર-૨૦૨૦થી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પરતું રાજ્યમાં કોરોના સંક્રમણ વધી જતા આ ફેરીને બંધ કરવાની ફરજ પડી હતી.
બપોરે 3 વાગ્યે ઘોઘાથી પ્રથમ ટ્રીપ રવાના થશે
આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા પુનઃ શરૂ થતા આ ફેરી સવારે ૮ કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ રવાના થશે, જ્યારે ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો થશે, મહત્વનું છે કે રોપેક્સ ફેરી ફરી શરૂ કરવામાં આવતા અત્યારથી જ નવેમ્બર મહિનાનું બુકિંગ 23 કલાકનું ખુલશે તેવું મનાઈ રહ્યું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati