Last Updated on October 21, 2021 by Pravin Makwana
કેન્દ્ર સરકારના પેન્શનધારકોને મોદી સરકારે ગિફ્ટ આપી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. તેમાં કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે, સરકારે 1 જૂલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં 28 ટકા વધાર્યું હતું.
ક્યા આધારે નક્કી થશે ડીએ
મોંઘવારી ભથ્થુ કર્મચારીઓના વેતનના આધાર પર નક્કી કરવામાં આવશે. જેમાં શહેરી, અર્ધ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અલગ અલગ હોય છે. ડિયરનેસ અલાઉંસની ગણતરી મૂળ સેલરી પર થાય છે. મોંઘવારી ભથ્થાની ગણકરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહક મૂલ્ય સૂચકાંક નક્કી કરે છે.
શું હોય છે મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થામાં સરકારી કર્મચારીઓને રહેવા ખાવા પીવાના સ્તરને વધારે સારા બનાવા માટે આ ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી વધવાની સાથે કર્મચારીઓને રહેવાના સ્તર પર કોઈ અસર ન પડે તેના માટે વધારો કરવામાં આવે છે. આ ભથ્થા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.
એક વર્ષમાં કમ સે કમ આટલો મળશે ફાયદો
ન્યૂનતમ સેલરી 18000 રૂપિયા પર ફાયદાનું ગણિત આવી રીતે થશે
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV