ગુજરાતમાં અનેક વાર વીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે, વીજ ચોરીને કારણે દર વર્ષ રાજ્ય સરકારને કરોડો રુપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે આવા વીજ ચોરીને અટકાવવા હવે રાજ્ય સરકાર કેન્દ્રની એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે.
ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે યોજના
રાજ્યમાં અવાર નવાર વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાતા તેમની ઉપર હુમલા થવાના કિસ્સા પણ વધી જતા હોય છે, આવા બનાવોને લઈને રાજ્ય સરકારને વીજ ચોરીને ડામવા એક નવી યોજના અમલ કરવા જઈ રહી છે. કેન્દ્રની સ્કાડા નામની આ યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે, જેના માટે રાજ્ય સરકારે તૈયારી પણ દર્શાવી છે. સ્કાડા નામની આ યોજના ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે, આ યોજના તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.
કેન્દ્ર સરકારે 2 લાખ 32 હજાર કરોડની યોજના તૈયાર કરી
આગામી સમયમાં આ યોજના ગુજરાતમાં લાગુ થશે મહત્વનું છે કે કેન્દ્ર સરકારની 2 લાખ 32 હજાર કરોડની આ યોજના તૈયાર કરી છે જે ગુજરાતમાં લાગુ થતા તમામ મીટરનું મોનિટરિંગ કરાશે એટલું જ નહીં પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી વીજ કંપનીઓને મળી રહેશે અને જે જગ્યાએ વીજ ચોરી થશે તેની સીધી જાણ વીજ કંપનીઓને થશે જેમાં વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી વીજ કંપનીને તાત્કાલિક જાણ થશે, વીજ ચોરીના કારણે ગુજરાત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતુ હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ નવી યોજનાના અમલ ટૂંક સમયમાં કરશે તેવું મનાઈ રહ્યું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati