Last Updated on November 30, 2021 by Zainul Ansari
અતિવૃષ્ટીથી થયેલ પાક નુકસાનીને લઇને રાજ્ય સરકારે બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં 9 જિલ્લાના ખેડૂતો માટે રૂપિયા 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઇ છે. આ રાહત ખેડૂતોને એસડીઆરએફ અંતર્ગત ચૂકવાશે. જેમાં ખેડૂતોને 2 હેકટરની મર્યાદામાં હેકટર દિઠ રૂપિયા 6800ની સહાયની જાહેરાત કરાઇ છે.
આ સહાયનો લાભ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતોને મળશે.
અતિવૃષ્ટી સહાય ૨.૦
ચોમાસાના આખરી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં જેના કારણે ખેડૂતોને પાકને નુકશાન થયું હતું. આ અંગે મુખ્યમંત્રી એ સર્વે કરાવ્યો હતો તે પૂર્ણ થયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 9 જિલ્લાના 1530 ગામડાના 5 લાખ જેટલા ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે 1530 ગામોના 5 લાખ જેટલા ખેડૂતોને 7.65 લાખ હેકટરમાં નુકસાનીનું વળતર આપવાનું નક્કી કર્યું છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV