મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ જેમાં ગ્રામીણ વિકાસ યોજનાઓ મુદ્દે ચર્ચા થઈ.
1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ: જીતુ વાઘાણી
હાલ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું પણ પણ કોરોના કાળની શરૂઆતથી જ પ્રાથમિક ધોરણ 1થી 5ની શાળાઓ બંધ છે ત્યારે કેબિનેટ બેઠક બાદ આ ઘોરણની શાળાઓ શરૂ કરવાના સંકેત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યા છે. તેમણે કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું છે વધુ સારુ બનાવવાનું છે.કેસ ઓછા થયા છે, મોતના કેસ અટક્યા છે જેથી આગામી દિવસોમાં આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં નિરામય યોજના અંગે પણ ચર્ચા થઈ હતી. જીતુ વાઘાણીએ આ યોજના વિશે કહ્યું હતું કે 5.27 લાખ લોકોનું સપ્તાહમાં સ્ક્રિનિંગ કરાયું અને 20 હજાર લોકોના લેબોરેટરી ટેસ્ટ કરાયા. પોતાના શિક્ષણ ખાતાએ કેમ્બ્રિજ યુનિ. સાથે કરેલા MOU વિશે માહિતી આપતા કહ્યું હતું કે શાળા શિક્ષણ માટે કેમ્બ્રિજ સાથે કરાર કર્યા છે હવે શિક્ષણ વ્યવસ્થા વધુ સુઘડ બનાવાશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati