દેશમાં કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
Uttar Pradesh to go to poll in 7 phases from 10th Feb to 7th March; Punjab, Uttarakhand and Goa to vote on 14th February & Manipur to vote on 27th Feb & 3 March; Counting of votes on 10th March: ECI pic.twitter.com/hxKms5e8hi
— ANI (@ANI) January 8, 2022
યુપીમાં સાત તબક્કામાં મતદાન
યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 14 ફેબ્રુઆરીએ બીજા, 22 ફેબ્રુઆરીએ ત્રીજા, 23 ફેબ્રુઆરીએ ચોથા, 27 ફેબ્રુઆરીએ પાંચમા, 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે.
Assembly elections in all five states will be completed in total seven phases: CEC Sushil Chandra pic.twitter.com/idFcnz3Bbi
— ANI (@ANI) January 8, 2022
પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ 1-1 તબક્કામાં વોટિંગ
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં વોટિંગ થશે.
મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન
મુુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે મણિપુરમાં બે તબક્કાનું મતદાન યોજાશે. મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા અને 3 માર્ચે એમ બે તબક્કામાં મતદાન યોજાશે.
10 માર્ચે તમામ વિધાનસભાના પરિણામ
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે 10 માર્ચે તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવાશે.
5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી- મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા
આ તબક્કે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે. તેમણે કહ્યું કે કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી કરાવવામાં આવશે. 18.34 કરોડ મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે કોરોનાની વચ્ચે ચૂંટણી કરાવવા માટે નવા પ્રોટોકોલ લાગુ પાડવામાં આવશે.
15મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રાજકીય રેલીને મંજૂરી નહીં
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે તમામ નેતાઓને વર્ચ્યુઅલી પ્રચાર કરવા માટેની સલાહ, કોઈ પણ પ્રકારનાં રોડ-શો અને પદયાત્રાને મંજૂરી નહીં અપાય. તેમણે કહ્યું કે 15મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રાજકીય રેલીને મંજૂરી નહીં મળે.
મુખ્ય ચૂંટણી કમિશનરના ભાષણની મહત્વની બાબતો
રાજકીય દળો માટે ગાઈડલાઈન્સ
(1) તમામ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરાવાશે.
(2) રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવામાં આવશે.
(3) ઉમેદવારે પોતાનો ગુનાહિત ઈતિહાસ દેખાડવો પડશે.
(4) ઉમેદવારો યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં 40 લાખ રુપિયનો ખર્ચ કરી શકશે
(5) મણિપુર અને ગોવામાં આ ખર્ચની સીમા 28 લાખ રુપિયા હશે.
પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ
ચૂંટણીની તારીખો જાહેર થતા જ આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati