નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નવા વર્ષે કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. સરકારે એકવાર ફરી કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં ૩ટકાનો વધારો કર્યો છે. આ વધારો ૧ જુલાઈ ૨૦૨૧થી લાગૂ રહેશે. કર્મચારીઓની વચ્ચે આ જાહેરાત બાદ ખુશીનું મોજું ફરી વળ્યું છે. જાેકે, કેન્દ્ર સરકારે પહેલાથી જ પોતાના કર્મચારીઓના ડીએ (ડીએ વધારા)ને ૩૧ ટકા કરી દીધું છે.
કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૧૬ થી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે વધેલા વેતનના ૫૦ ટકાનું એરિયર્સ મળશે. આ ર્નિણયથી રાજ્યના છ લાખ કર્મચારીઓને ફાયદો થશે. એટલે કે નવા વર્ષની શરૂઆતથી જ કર્મચારીઓનું વર્ષ સુધરી ગયું છે. રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું મૂળ વેતનનો ૩૦ ટકા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ વધારો એક જુલાઈ ૨૦૨૧થી લાગૂ થશે. બીજી બાજુ, કેન્દ્ર સરકાર પણ એકવાર ફરી કેન્દ્રિય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આંકડા જાેઈએ તો સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્થું ૩૩ ટકા થઈ ચૂક્યું છે. એટલે કે આ હિસાબે તેમાં ૨ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જાેકે, હાલ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા સામે આવ્યા નથી. આશા કરવામાં આવી રહી છે કે તેમાં ૧ ટકાનો વધુ વધારો થઈ શકે છે. જાે ડિસેમ્બર ૨૦૨૧ સુધી સીપીઆઈ(આઈડબલ્યુ)ના આંકડા ૧૨૫ સુધી રહે છે તો મોંઘવારીના ભથ્થામાં ૩ ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ ડીએ ૩ટકા વધીને ૩૪ ટકા થઈ જશે. તેનું ચૂકવણી જાન્યુઆરી ૨૦૨૨થી થશે અને કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં વધારો થઈ જશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Shu Khabar