શિક્ષકોની બદલીની જિલ્લા ફેર બદલીને લઈ નિર્ણયતો ફેબ્રુઆરી મહિનામાં જ લઈ લેવામાં આવ્યો છે. પણ હજુ સુધી આધિકારિક જાહેરાત એટલે કે પરિપત્ર કરાયો નથી ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે શિક્ષકોની બદલીઓના નિયમને લગતો પરિપત્ર આગામી 2 દિવસમાં જાહેર થશે.
શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 17 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું હતું કે 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા સમયની માંગ સાથે શિક્ષકોની માંગના અનુસંધાને રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરસ્પર બદલી નિર્ણય કરાયો છે.
શિક્ષકોની બદલીને લઇ નવા નિયમ બનાવ્યા
સર્વ સંમતિવિદ્યાર્થી અને શિક્ષકનું હિત અને એડમિસ્ટ્રેટનું પણ હિત જળવાઇ તે માટે નિર્ણય લીધો હતો.અત્યાર સુધીમાં જે શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાના પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ છુટા થયા ન હતા, હવે છુટા થઇ જશે.
100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ અપાશે
પ્રા.શિક્ષકોની બદલીના નિયમો 2012માં બનેલા હતા. શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે હવે જોગવાઈ દૂર કરાઇ, વતન શબ્દ દૂર કર્યો. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati