જામનગર તા.4: હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તા. 04/04/2022 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. અને ઉનાળામાં હીટવેવના કારણે સન સ્ટ્રોક (લૂ) લાગવાના કેસો ખૂબ બનવા પામે છે. ઉનાળાની ઋતુમાં લુ લાગવાના કેસોને ધ્યાને લઈ ગુજરાત સરકારશ્રી દ્વારા સનસ્ટ્રોક (લૂ) થી બચવા જાહેર જનતા માટે આરોગ્યલક્ષી સુચનાઓ જાહેર કરી છે.
ઉપવાસ કરવાનુ ટાળવું, સવારનું ભોજન 12:00 વાગ્યા સુધીમાં લઇ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું. વરિયાળી,કાચી કેરી,ગુલાબ,ખસવાળા અને કાળી દ્રાક્ષનું શરબત લઇ શકાય, રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી,તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવુ.
માથાનો દુખાવો,પગની પીંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચક્કરઆવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી અને અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ બધા લક્ષણો હીટવેવના કારણે લૂ લાગવાના હોઇ શકે છે આવી પરિસ્થિતિમાં તુરત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar