શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આજે 3.30 કલાકે કામ ચલાઉ વિદ્યા સહાયકનું મેરિટ જાહેર કરાશે. જેમાં 3300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યા ભરાશે. તેમજ આગામી સમયમાં વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે, બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગમાં ફાઇલ મોકલી છે.
તેમજ ટૂંક સમયમાં શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આજે બપોરે 3.30 કલાકે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે. તેમજ ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. 17 માર્ચથી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: CN24 News Gujarati