TV9 ગુજરાતી

411k Followers

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓેને આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી

01 May 2022.12:46 PM

1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) રાજ્યકક્ષાની ઉજવણી પાટણ (Patan) જિલ્લામાં કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી.

આ સાથે જ તેમણે ગુજરાત સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (dearness allowance ) 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021થી જ લાગુ થવાનું ગણવામાં આવશે. આ નિર્ણય બાદ 1 જુલાઇ 2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારો દસ મહિનાની એરિયર્સની રકમ સાથે આપવાની જાહેરાત કરી છે. આ રકમ બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે પાટણમાં સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યુ. સાથે જ પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી. મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યુ કે રાજ્યમાં આઠ સ્થળોએ રિઝનલ સાયન્સ સેન્ટર બનશે. આઠમાંથી ચાર સાયન્સ સેન્ટર તૈયાર થઇ ચૂક્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ કે ભુજ, ભાવનગર અને કચ્છનું સાયન્સ સેન્ટરનું 95 ટકા પૂર્ણ થયુ છે. એક વર્ષમાં બાકીના તમામ સેન્ટરોનું ઉદ્ધાટન થશે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું 'ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે'

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags