અકિલા ન્યૂઝ

512k Followers

ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફફડાટ : યોગી સરકાર 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફરજીયાત રિટાયર કરવા જઈ રહી છે : ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા કર્મચારીઓને ફરજીયાત નિવૃત કરવાના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ બાદ હવે યુ.પી.સરકાર પણ આકરા પાણીએ : 31 જુલાઈ સુધીમાં નિર્ણય

06 Jul 2022.12:41 PM

લખનૌ : યુપીના રાજ્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. યોગી સરકાર સરકારી વિભાગોમાં કામ કરતા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને બળજબરીથી નિવૃત્ત કરવા જઈ રહી છે. આ અંગે 31 જુલાઈ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.

ભ્રષ્ટાચાર, ગંભીર બિમારી, કામ ન કરનાર અને તપાસમાં સંડોવાયેલા આવા કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ અંગેનો નિર્ણય 31મી જુલાઈ સુધીમાં લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ માહિતી 15 ઓગસ્ટ સુધીમાં કર્મચારી વિભાગને આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે યુપીમાં કર્મચારીઓ 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે. અગાઉ કેટલાક વિભાગોમાં તે 58 વર્ષ હતું. મંગળવારે મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ વિભાગોના વડાઓને આદેશ જારી કર્યો, જેના પછી રાજ્યના કર્મચારીઓમાં હોબાળો મચી ગયો છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્ક્રીનીંગ કમિટી 31 માર્ચ 2022ના રોજ 50 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા લોકોના નામ પર વિચાર કરશે. આ ઉંમર પુરી કરી ચૂકેલા સરકારી કર્મચારીના કિસ્સામાં, એકવાર સ્ક્રીનિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરીને તેને સેવામાં રાખવાનો નિર્ણય લેવામાં આવે તો, તેનું નામ સ્ક્રીનિંગ કમિટી સમક્ષ રિપીટ કરવાની જરૂર નથી. આવા કર્મચારીને નિવૃત્તિના સમયગાળા સુધી સેવામાં રાખવામાં આવશે.

દિલ્હીમાં પણ બળજબરીથી નિવૃત્તિ લેવાની તૈયારી

માત્ર યુપીમાં જ નહીં પરંતુ દિલ્હી સરકારમાં નિષ્ક્રિય સરકારી કર્મચારીઓને સમય પહેલા જ બળજબરીથી નિવૃત્ત કરવામાં આવશે. ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા અધિકારીઓ પર કાર્યવાહી કર્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નરે હવે આ નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકારના આવા કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી અંગે સમયાંતરે સમીક્ષા અહેવાલો આપવા માટે પાંચ સભ્યોની સમિતિની પણ રચના કરવામાં આવી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Akila News

#Hashtags